હું 33 વર્ષની પરણિત મહિલા છું, મે મારા પતિના દોસ્ત સાથે સબંધ બાંધ્યા છે, પણ હવે બીક લાગે છે કે આ વિશે મારા પતિને ખબર પડશે તો….
સવાલ.હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે.
આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.
જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ.
કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.
સવાલ.હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે.
તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.
જવાબ.લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે.
એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.
સવાલ.આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે.
મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.
આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.
સવાલ.મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે. હું ઇચ્છું છું કે લગ્ન પછી મારો અને મારા પતિનો પ્રેમ હંમેશાં જળવાઇ રહે. હકીકતમાં મેં નાનપણથી મારા માતા-પિતાને મારી નજર સામે સતત ઝઘડતાં જોયાં છે અને હું નથી ઇચ્છતી કે મારા લગ્નજીવનમાં આવી સ્થિતિ ઊભી થાય. લગ્ન પછી પ્રેમ જળવાઇ રહે એ માટે શું ધ્યાન રાખવું જોઇએ?.
જવાબ.લગ્નના પછી કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વર્ષો પછી પણ પતિ-પત્ની બંનેનું ટ્યૂનિંગ એટલું મસ્ત રહે કે ન્યૂલી મેરિડ અથવા બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચેના સંબંધો ફિક્કા પડી જાય. સંબંધોમાં એજ ગેપનું કોઇ મહત્ત્વ નથી. બંને વચ્ચે પરસ્પર સમજૂતી અને પ્રેમ હોય તો ઉંમર માત્ર આંકડો બની જાય છે. બની શકે તો દિવસમાં એકવાર સાથે જમવાનો આગ્રહ રાખો.આ બાબત તમને સાથે સમય પસાર કરવાની તક આપે છે.
હંમેશાં લાગણીનો એકરાર કરો. લાગણીનો એકરાર કરતા રહેવાથી આ લાગણી હંમેશાં જીવંત રહે છે. કપલે બીજાની પસંદ-નાપસંદને સન્માન તો આપવું જ જોઇએ અને સાથે સાથે સપોર્ટ પણ કરવો જોઇએ. આવું વલણ દાખવવાથી બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડો થાય છે. જો આટલું ધ્યાન રાખશો તો લગ્ન પછી પણ પ્રેમ જળવાઇ રહેશે.
સવાલ.હું 33 વર્ષની મહિલા છું અને એક સારી સિટીમાં રહું છું, મારા પતિ શહેરની જ એક ખ્યાતનામ કમ્પનીમાં કામ કરે છે અને એ કામના અર્થે બહાર રહે છે મોટાભાગે, અહીં એમના ખાસ એક મિત્ર સાથે મારે સબંધ બંધાયા અને સમા-ગમ પણ અમે માણ્યું, હવે મને બીક લાગે છે કે જો આ વાતની ખબર મારા પતિને થશે તો મારુ શું થશે.
જવાબ.જો સૌથી પેહલા તો તમે આ રિલેશન બંધ કરી દો, બીજું કોઈ તમારા 2માંથી ના કહે ત્યાં સુધી તો તમારા પતિને ખબર પડવાની નથી, એટલે ચિંતા ના કરસો પણ હવે ધ્યાન રાખજો.