માં મોગલેના ચમત્કારથી આ વ્યક્તિ મોતના મુખમાંથી આવ્યો પાછો.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

માં મોગલેના ચમત્કારથી આ વ્યક્તિ મોતના મુખમાંથી આવ્યો પાછો….

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.

પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.

Advertisement

માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. થોડા સમય પહેલા જ એક યુવક પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો.

મણિધર બાપુએ તેને પૂછ્યું તને શું તકલીફ હતી તો યુવકે કહ્યું કે મને એક ગંભીર બીમારી હતી. જેનાથી મારું મૃત્યુ પણ થઇ ગયું હોત. આ બીમારીને કારણે મારો આખો પરિવાર ખુબજ ચિંતામાં આવી ગયો હતો. યુવકે દવા લેવાની સાથે સાથે માં મોગલની માનતા પણ રાખી અને સાથે સાથે સારવાર પણ કરાવતો હતો.પહેલા તો બધાને એવું જ લાગતું હતું કે આ બીમારી બહુ જલ્દી નહિ મટે.

Advertisement

તેની માટે પરિવારના લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે પણ માં મોગલની કૃપાથી તે યુવકની ગંભીર બીમારી એક જ ઝાટકે દૂર થઈ ગઈ અને એકદમ સ્વસ્થ થઈ ગયો. જયારે યુવકે બીજીવાર રિપોર્ટ કરવાય તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા અને તેને માં મોગલનો પરચો થયો.

ત્યારે મણિધર બાપુએ તેમેં કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી આ તો તારી માં મોગલ પણ શ્રદ્ધા હતી માટે માં મોગલે તારું કામ કર્યું. માં મોગલ ઉપર કયારેય અંધશ્રદ્ધા ન રાખવી પણ હંમેશા શ્રદ્ધા રાખવી.

Advertisement

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવવાની વાત કરી.

જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી. લે હવે આ વીંટી પરત લઈજા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite