હું પરણિત મહિલા છું, મને સે@ક્સ એ ખરાબ વસ્તુ લાગે છે, હું સે@ક્સ માટે મારા મનને કેવી રીતે મનાવું.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું પરણિત મહિલા છું, મને સે@ક્સ એ ખરાબ વસ્તુ લાગે છે, હું સે@ક્સ માટે મારા મનને કેવી રીતે મનાવું….

સવાલ.મને એક વિચિત્ર સમસ્યા છે. મારા પતિ સાથે સંભોગ કરતી વખતે, હું તેના મિત્ર વિશે વિચારુ છું જે ખૂબ જ સુંદર દેખાઇ છે અને આ સમય દરમિયાન, જો મારા પતિ મારી સાથે વાત કરે છે, તો હું ખલેલ પાડીશ, કારણ કે હું ફરીથી તેના મિત્ર વિશે વિચારી શકતી નથી.જે મને અસંતોષ આપે છે તો શું મારે મારા પતિને આ વિશે કહેવું જોઈએ?

જવાબ.તે સાચું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ પરંતુ કેટલીક જગ્યાએ સંબંધોમાં મૌન રહેવું જરૂરી છે તમે બંને જાતીય જીવનનો આનંદ માણી રહ્યા છો અને આવી રીતે.તમારું સત્ય કહેવાથી સંબંધોમાં ખલેલ પડી શકે છે અને તમે તમારા પતિને કહી શકો છો કે જ્યારે તે બોલતું નથી તો તમે વધુ આનંદ કરો છો બીજી તરફ, તમારે પતિના મિત્રને બદલે પતિ માટે તમારી કલ્પનાઓ પણ કરવી પડશે કારણ કે ભવિષ્યમાં સંબંધને મજબૂત બનાવવો જરૂરી છે.

Advertisement

સવાલ.હું એક વિદ્યાર્થિની છું. મારા ઘરનું વાતાવરણ એવું પણ નથી કે હું કોઈની સાથે મોકળા મને વાત કરી શકું. મારા મનમાં સે@ક્સ વિષે કેટલીક જિજ્ઞાાસાઓ છે, જેના વિશે આજે હું તમારી પાસેથી જાણવા માગું છું.શું શારી-રિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને કોઈ તકલીફ કે ખુબજ પીડા થાય છે?કોઈ સ્ત્રી કેવી રીતે સગર્ભા બને છે? જો કો-ન્ડોમ વાપરવામાં આવે તો શું આ સ્થિતિથી બચી પણ શકાય છે?

જવાબ.અમારી આ કોલમમાં લગભગ દરેક લેખમાં સામાન્ય શરીર વિજ્ઞાન અને સે@ક્સ વિશે ઉપયોગી જાણકારી આવતી જ રહેતી હોય છે. એનો લાભ તમે પણ લઈ શકો છો. છતાં પણ તમારા સવાલોના જવાબ ક્રમ પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે.સામાન્ય રીતે સમાગમ ન તો સ્ત્રી કે ન તો પુરુષ માટે પીડાદાયક કે તકલીફદાયક હોય છે. આ મિલન તો બંને માટે સુખદ અને આનંદદાયક જ હોય છે. શરત એટલી કે બંને ખરા દિલથી તે સંબંધ બાંધતા હોય તો.

Advertisement

ફક્ત પ્રથમ સમાગમ વખતે યુનિચ્છેદના તૂટવાના સમયે સ્ત્રીને થોડી તકલીફ જરૂર થાય છે, પરંતુ ધીરજ અને પ્રેમથી મિલન બહુ જલદી સહજ, સરળ અને વિધ્ન વગરનું પણ થઈ જાય છે.માસિકધર્મની શરૂઆતથી માંડીને રજોનિવૃત્તિ થાય ત્યાં સુધી દર મહિને સ્ત્રીનાં અંડાશયમાં એક કે એથી વધારે બીજ બને છે અને તે છૂટું પણ પડે છે.આ બીજ માસિકચક્રના મધ્ય સમય દરમિયાન છૂટું પડે છે.એ દિવસોમાં સમાગમ કરવાથી પુરુષના વીરયમાંના શુક્ણુઓનિં સ્ત્રીના બીજ સાથે મિલન થાય છે.

એ દરમિયાન શુક્ણુઓ દ્વારા ભેદીને તેમાંથી છૂટું પડેલું બીજ જ ગર્ભ ધારણ કરવા સક્ષમ હોય છે, જે ગર્ભાશયમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી લે છે અને પછી ધીમે ધીમે વિકસિત પણ થાય છે.પુરુષ સાથી કોન્ડોમનો ઉપયોગ કરે એટલે એનું વીરય કોન્ડોમની થેલીમાં જ રહી જાય છે. જેથી ગર્ભ નથી રહેતો. કોન્ડોમનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે જ થાય છે. સમાગમ વખતે પૂરેપૂરો સંતોષ મળે એટલા માટે એને ચીકાશવાળું પણ બનાવાય છે. જોકે તે સમાગમમાં કોઈ પણ રીતે મદદરૂપ નથી હોતું.

Advertisement

સવાલ.શું ફેફસાંનો ટીબી થયા પછી ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોઈ અવળી અસર પડે છે? પ્રાથમિક તબક્કે જ તેનો ઉપચાર શરૂ કરી દેવામાં આવે અને પૂરા આઠ-નવ મહિના સુધી બરાબર ઈલાજ કરવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે? શું ઈલાજ પછી સમયસર માસિક આવતું હોય, તો તે સ્ત્રીની ગર્ભધારણ કરી શકવાની ક્ષમતાનો પુરાવો નથી? જો કોઈ સ્ત્રીને ટીબી થઈ ગયો હોય અને તે કારણસર તેની ગર્ભપાત કરાવી નખાય તો શું પછી તે ફરીથી માં નથી બની શકતી.

જવાબ.તમે એકસાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા છે એમાંથી દરેકનો હા કે ના માં સ્પષ્ટ જવાબ આપવો પણ શક્ય નથી, આમ છતાં એની વિરુદ્ધ વૈજ્ઞાાનિક સ્પષ્ટતા તમને જણાવું છું. હા, એ સાચું છે કે ફેંફસાંનો ટીબી થવાથી સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પર અવળી અસર પણ પડી શકે છે, પરંતુ આવું ફક્ત એવા કિસ્સામાં જ થાય છે.

Advertisement

જેમાં ટીબીનાં જંતુ પ્રજજનઅંગોમાં પહોંચી જાય છે અને અંડવાહિની (ફિલોપિયન ટયૂબ્સ) માં વિકૃતિ પેદા કરી દે છે. ભારતમાં ૨ થી ૧૦ ટકા નિ:સંતાન સ્ત્રીઓમાં જ પ્રજનનઅંગોનો ટીબી બાળક ન થવાનું કારણ છે.અને સીધી ભાષામાં કહીએ તો ફેફસાંના ટીબી પછી કેટલીક સ્ત્રીઓને જ પ્રજનનઅંગોનો ટીબી થાય છે અને તેમને જ પછીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે.

આ માટેનો પૂરો ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે, પણ આ ઈલાજ એ વાતની ખાતરી નથી આપતો કે એ કરાવ્યા પછી પ્રજનનઅંગ તદ્દન સ્વસ્થ થઈ જશે. જો અંડવાહિનીઓમાં ખામી ઊભી થઈ જાય તો તે દવાથી દૂર નથી થતી. દવાથી ફક્ત ટીબીના જંતુઓ મરે છે અને રોગ જલદી નિયંત્રણમાં આવી જાય તેવી સંભાવના રહેતી હોય છે.

Advertisement

માસિકધર્મ નિયમિત આવે એ વાતની ખાતરી નથી કે કે સ્ત્રીમાં મા બનવાની ક્ષમતા છે. પ્રજનન અવયવોના ટીબીમાં વ્યંધત્વની તકલીફ મોટા ભાગે અંડવાહિની બંધ થઈ જવાથી અથવા તેમાં વિકૃતિ આવી જવાથી થતી હોય છે. આવી સ્થિતિમાં માસિકસ્ત્રાવ તો સામાન્ય રીતે થયા જ કરે છે અને જ્યારે વિશેષ પરીક્ષણ અને તપાસ કરાવીએ ત્યારે જ સાચી ખામીની ખબર પડે છે.

ફેફસાંનો ટીબી થાય ત્યારે સગર્ભા સ્ત્રીએ ગર્ભપાત કરાવવાની જરૂર નથી. સામાન્ય રીતે તો તે ટીબીનો ઈલાજ ચાલુ રાખીને સ્વસ્થ બાળકનો જન્મ પણ આપી શકે છે, પણ જો કોઈ કારણસર સ્ત્રીએ ગર્ભપાત કરાવવો જ પડે તો પણ ફરીથી ગર્ભધારણ કરવામાં આમ તો કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હા, મુશ્કેલી ત્યારે જ આવે છે, જ્યારે પ્રજનન અવયવોમાં કોઈ ચેપ લાગી જાય અને અંડવાહિની બંધ પણ થઈ જાય.

Advertisement

સવાલ.હું ૧૫ વરસની છું. મને મારી જ ઉંમરના એક છોકરા સાથે મૈત્રી છે. તે ઘણો શ્રીમંત છે અને તેના વિચારો પણ આધુનિક છે. તે મને કહે છે કે તેની સ્કૂલમાં છોકરા અને છોકરી વચ્ચે શારી-રિક સંબંધો છે. તે બીજી છોકરીઓ વિશે પણ વાત કરે છે મને પ્રેમ કરતો હોવાનો તે દાવો કરે છે, પરંતુ હું ઘણી ડિપ્રેશ છું. શું અમારો પ્રેમ ટકી શકશે?

જવાબ.લાગણીઓનો પ્રશ્ન છે તો એ બાબતે તમે પુખ્ત થઈ ગયા છો અને આ વાત સમજી શકો છો તેમજ અનુભવી શકો છો. પરંતુ ગંભીર સંબંધ બાંધવા માટે હજુ તમે ઘણા નાના છે. જ્વલ્લે જ બાળપણનો સાથ જીવન ભરના સાથમાં ફેરવાઈ શકે છે, પરંતુ મોટા ભાગે મુગ્ધાવસ્થાના આકર્ષણો તેમજ નાની વયના રોમાન્સ ઉંમર વધતા ભૂલાઈ જાય છે.તમારો મિત્ર તમારા વધુ મેચ્યોર્ડ છે અને વખત જતા તે તમારી સાથે છૂટછાટ લેવાની શરૂઆત કરે કે તેની સાથે શારી-રિક સંબંધ બાંધવા માટે તમારા પર દબાણ કરે એવી શક્યતા છે.

Advertisement

પરંતુ તમારે આનાથી દૂર રહેવું જોઈએ. આના પરિણામો ગંભીર આવી શકે છે જેની તમારા ભવિષ્ય પર ખરાબ અસર થવાની શક્યતા છે. તમે ગર્ભવતી બની શકો છો અથવા યૌન રોગ પણ થઈ શકે છે.અને ભવિષ્યમાં તમને તમારા આ નિર્ણયનો પસ્તાવો પણ થઈ શકે છે. તમારી આ ઉંમર ભણવાની છે આથી ગંભીર સંબંધો બાંધવાનો વિચાર પડતો મૂકી હમણા તો અભ્યાસમાં ધ્યાન પરોવો. દરેક વસ્તુ માટે યોગ્ય ઉંમર છે.

સવાલ.હું નવપરિણીત છું. મારા પતિ સાથે સે@ક્સ દરમિયાન હું સંકોચ અનુભવું છું. મારા મનમાં સે@ક્સ ખરાબ હોવાની વાત ઘર કરી ગઈ હોવાથી હું સે@ક્સને પોઝિટિવ રૂપમાં લઈ શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમારી જેવી સમસ્યામાંથી ઘણી મહિલાઓ પસાર થાય છે. એનું મુખ્ય કારણ એ જ છે કે સમાજ તેમજ ઘર-પરિવારમાં છોકરીઓને સે@ક્સ પ્રત્યે આવી જ સમજણ અપાય છે. આ ઉપરાંત સે@ક્સ પ્રત્યેનું અજ્ઞાાન પણ આ પાછળ જવાબદાર છે. પરંતુ હવે લગ્ન પછી તમારે સે@ક્સ પ્રત્યેના તમારા વિચારો દૂર કરવા જોઈએ. તમે તમારા વિચાર બદલી શકો નહીં તો કોઈ મનોચિકિત્સકની કે સે@કસોલોજીસ્ટની સલાહ લો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite