પ્રમુખસ્વામી નગરમાં બ્રિટન ની 141 મહિલાઓ જે વસ્તુ બનાવ્યું એની આખા દેશ માં થઈ રહી છે ચર્ચા…
ઓગંજમાં ગત ગુરુવાર 15મી ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીનો પ્રારંભ થયો છે જ્યાં આ જન્મ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.
અને લંડનની બહેનોએ પ્રમુખસ્વામી મહારાજનું સુંદર ચિત્ર તૈયાર કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે આવો જાણીએ આ પેઇન્ટિંગની વિશેષતાઓ પ્રમુખસ્વામી મહારાજનું આ બબલ રેપ પેઇન્ટિંગ.
લંડનની 140 મહિલાઓ દ્વારા 6 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું છે આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં 7 વર્ષથી લઈને 75 વર્ષની મહિલાઓએ 6 મહિના સુધી સતત મહેનત કરી છે આ પેઇન્ટિંગમાં 320 થી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમાંથી લગભગ 256 રંગોનો ઉપયોગ બાપા નો ચહેરો તૈયાર કરવા માટે કરવામાં આવ્યો છે રંગને સિરીંજ વડે બબલરેપમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે બબલ રેપમાં પ્રવાહી દિવાલ પેઇન્ટના વિવિધ રંગોનો ઉપયોગ કરીને ઇન્જેક્ટ કરવામાં આવે છે.
દરેક બબલ ક્રમિક રીતે ક્રમાંકિત અને અલગ રંગ સાથે ઇન્જેક્ટ કરવામાં આવે છે આ રીતે 8 લાખથી વધુ બબલ ભરવામાં આવ્યા છે અને આ માટે લગભગ 104 બબલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓગણજમાં ગત 15મી ડિસેમ્બરથી પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે જ્યારે તેની પૂર્વ સંધ્યાએ એટલે કે 14મી ડિસેમ્બરે આ પરમ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોએ દર્શન કર્યા હતા.
મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ જન્મ શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી ચાલતો હોવાથી ગ્લો ગાર્ડન લાઇટ એન્ડ સાઉન્ડ શો નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ મહા મૂર્તિ.
અને પ્રમુખસ્વામી મહારાજના જીવન પર જીવંત પ્રદર્શનો સહિત માણવા માટેના ઘણા અદ્ભુત આકર્ષણો છે ૬૦૦ એકરમાં વિવધ માનવ ઉત્થાન પ્રવૃત્તિઓ થશે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટની ઊંચાઈવાળી ભવ્ય મૂર્તિ હશે દિલ્હી અક્ષરધામ જેવું અક્ષરધામ બનાવ્યું છે.
વિશ્વનો સૌથી આકર્ષક અને મનોહર લાઈટ એન્ડ સાઉન્ડ શો હશે ભવ્ય ગ્લો ગાર્ડનનો નજારો છે બાળનગરી સૌનું દિલ જીતી લેશે જ્ઞાન સાથે મનોરંજન પૂરૃં પાડશે વિવિધ છ ડોમમાં પ્રમુખ સ્વામીના જીવનના પ્રસંગોની રસિક શૈલીમાં પ્રેરણાદાયક રજુઆત કરવામાં આવશે આ ઉપરાંત ઘણું બધું જોવાલાયક છે.
ખાસ જણાવું છું કે બીએપીએસ સંસ્થા દ્વારા ઘણાં મહોત્સવ થયા છે તેમાં આ શિરમોર સમાન હશે તમામ મોટા ઉત્સવોનો અનુભવ અને નિચોડનું પરિણામ છે ઉપરાંત મોટા મોટા શહેરોમાં જે ભવ્ય મંદિરો છે.
તેની પ્રતિકૃતિ અહી હશે જેના દર્શન તમે કરી શકશો આ મહોત્સવ ફક્ત ૩૫ દિવસ થવાનો છે ત્યારપછી ત્યાં મેદાન હશે. સમગ્ર નગરી તૂટી જશે માટે આપ ખાસ આ મહોત્સવમાં આવવાનું હોય તો આયોજન કરી લેજો